ભેસ્તાનની જર્જરીત કોલોનીના રહિશોએ બની રહેલા બંગલા સામે દેખાવો કર્યા

DivyaBhaskar 2019-08-22

Views 108

સુરતઃભેસ્તાન વિસ્તારમાં આવેલી જર્જરીત સરસ્વતી કોલોનીમાં જીવના જોખમે રહેવા મજબૂર રહિશોએ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો આવાસના રહિશો યુનિવર્સિટી રોડ પર બની રહેલા મેયરના બંગલા પાસે પહોંચી ગયા હતાં જ્યાં વિરોધ પ્રદર્શિત કરતાં લોકોને પોલીસે સમજાવીને રવાના કર્યા હતાં

સરસ્વતી કોલોનીના રહિશોએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યા મુજબ અમારા આવાસ બનાવનાર અને મેયરનો બંગલો બનાવનાર કોન્ટ્રાક્ટર એક જ છે તેથી અમારા આવાસ નબળા બનાવનારને મેયરનો બંગલો પણ નબળો જ બનાવે છે કે કેમ તે તપાસ કરવાની સાથે સાથે પાલિકાની આંખ ખોલવા માટે કે અમે કેવી સ્થિતિમાં રહેવા મજબૂર છીએ તે અંગે અમારી સાથે યોગ્ય કરવામાં આવે તેવી જ માંગ હોવાનું વધુમાં ઉમેર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS