દુષિત અને પાણીના પ્રેશરની સમસ્યાથી પરેશાન, કાર્યપાલક ઇજનેરનો ઘેરાવ કરીને હોબાળો મચાવ્યો

DivyaBhaskar 2019-07-30

Views 505

વડોદરા:સયાજીપુરા સ્થિત મુખ્યમંત્રી આવાસ યોજનાના રહીશોને છેલ્લા 3 માસથી દુષિત અને ઓછા પ્રેશરથી પાણી મળતા રહીશોએ સયાજીપુરા ટાંકી ઉપર જઇ હોબાળો મચાવ્યો હતો અને તે સમયે હાજર કાર્યપાલક ઇજનેરનો ઘેરાવ કર્યો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સયાજીપુરા ખાતે મુખ્યમંત્રી આવાસના મકાનો આવેલા છે આ મકાનોમાં રહેતા લોકોને છેલ્લા 3 માસથી દુષિત અને અપુરતા પ્રેશરથી પાણી મળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતાં સ્થાનિક રહીશો સયાજીપુરા ટાંકી ઉપર ધસી ગયા હતા અને કોર્પોરેશન વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો અને પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર મુકુલ પટેલનો ઘેરાવ કરી પાણી માટે ધારદાર રજૂઆત કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS