રિક્ષાચાલકની હત્યાનો મામલો, લોકોએ ચક્કાજામ સાથે પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ, પરિવારે મૃતદેહ સ્વિકાર્યો

DivyaBhaskar 2019-12-13

Views 7.7K

રાજકોટ: ચાર દિવસ પહેલા રિક્ષા પાર્ક કરવા મુદ્દે 11 શખ્સોએ મનહરપુર 1માં રહેતા ભૂપત કોળીને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા ગઇકાલે તેનું અમદાવાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું પરંતુ પરિવારજનોએ લાશ સ્વિકારવાનો ઇન્કાર કરી રાજકોટ હોસ્પિટલ ખાતે સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા પોલીસે પરિવારને લાશ સ્વિકારવા માટે ઘણા સમજાવ્યા હતા પરંતુ લોકો વિફર્યા હતા અને જામનગર હાઇવે ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો આથી પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું જાણવા મળ્યું છે પરિવારે પહેલા આરોપીઓની ધરપકડ કરવાનું કહ્યું હતું બાદમાં આરોપીઓને પકડી સરઘસ કાઢવાની માંગ પર ઉતરી આવ્યા હતા અંતે પોલીસે આરોપીઓનેની ધરપકડ કરી સરઘસ કાઢી લોકો પાસે માફી મગાવી હતી યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ, હત્યાની ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી હાલ પોલીસ સ્થિતિને કાબૂમાં લઇ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે હાલ ભૂપતના મૃતદેહને પરિવારજનો સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS