લોકઅપમાં આત્મહત્યા કરવાનો મામલો, ભારે હૈયે પરિવારે મૃતકની અંતિમયાત્રા નીકાળી

DivyaBhaskar 2020-02-26

Views 141

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોડી રાતે જીગર નામના યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના બની હતી ત્યારે આ મામલેકાગડાપીઠના PSO ગોરધનસિંહને સસ્પન્ડ કરવામાં આવ્યાં છે જ્યારે તેમની જગ્યાએ ઇસનપુરના પીએસઆઈ કેપી ગોહિલને કાગડાપીઠ મૂકવામાં આવ્યાં છે આ મામલે મૃતકના પરિવારજનોએ સેક્ટર 2ના JCP નિપુણા તોરવણેને રજૂઆત કરી હતી ત્યારબાદ કાગડાપીઠના પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે આ ઉપરાંત કાગડાપીઠનાતમામ સ્ટાફને વિખેરી નાખવામાં આવશે તેમને અન્ય પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવશે તેવી જાણકારી મળી છે ત્યારે કાર્યવાહી બાદ પરિવારે મૃતકનો મૃતદેહ સ્વીકારીને તેની અંતિમયાત્રા નીકાળી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS