સુરતમાં બે કાંઠે વહેતી તાપી નદીમાં નવ જેટલા કૂતરાઓ ફસાયા

DivyaBhaskar 2019-09-05

Views 854

સુરતઃ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે જેમાં કતારગામ અને રાંદેર વચ્ચે તાપી નદીમાં નવ જેટલા કૂતરાઓ ફસાઈ ગયા હોવાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો અને કૂતરાઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

ફાયર ઓફિસર વસંત સૂર્યવંશી એ જણાવ્યું હતું કે, કતારગામ રાંદરેને જોડતા તાપી નદી પરના બ્રિજ પરથી લોકોએ કૂતરા ફસાયા હોવાનું જણાયું હતું જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મોરા ભાગળ ફાયર ટીમના 5 જવાનોને હાલ તાપીના પાણીમાં ઉતારાયા છે તેમજ અડાજણ ફાયર સ્ટેશન પાસેથી બોટની મદદ માંગી છે અને તમામ શ્વાનને બચાવી લેવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS