AAP નેતા સત્યેન્દ્ર જૈનને મસાજ કરનાર દુષ્કર્મનો આરોપી, BJPના આકરા પ્રહાર

Sandesh 2022-11-22

Views 338

દિલ્હીની તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મસાજ આપવાનો મામલો જોર પકડી રહ્યો છે. હવે આ મામલે ભાજપે વધુ એક દાવો કર્યો છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈનને મસાજ આપનાર રિંકુ પર બળાત્કારનો આરોપ છે.
તેમણે લખ્યું કે રિંકુ POCSO અને IPCની કલમ 376 હેઠળ આરોપી છે. તો એ ફિઝિયોથેરાપિસ્ટ નહીં પણ સત્યેન્દ્ર જૈનને મસાજ કરનાર રેપિસ્ટ હતો! આ ખરેખર આઘાતજનક છે... કેજરીવાલે જવાબ આપવો જોઈએ કે તેણે શા માટે તેનો બચાવ કર્યો અને ફિઝિયોથેરાપિસ્ટનું અપમાન કર્યું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS