1993 બ્લાસ્ટના આતંકવાદી યાકૂબ મેમણની કબર બની ચર્ચાનું કેન્દ્ર!

Sandesh 2022-09-09

Views 121

દક્ષિણ મુંબઈના મરીન લાઈન્સ વિસ્તારમાં બડા કબરસ્તાનમાં 1993ના મુંબઈ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણની કબર પર એલઈડી લાઈટ્સ અને માર્બલ ટાઈલ્સ લગાવવામાં આવી હોય તેવી તસ્વીર વાઈરલ થઇ રહી છે.

1993 ના મુંબઈ વિસ્ફોટમાં આ દોષિત આતંકવાદીના લીધે 257 લોકો માર્યા ગયા હતા અને લગભગ 1,400 ઘાયલ થયા હતા, તેને 30 જુલાઈ, 2015 ના રોજ નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી અને તેને બડા કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો.
યાકુબ મેમને તેના ભાઈ ટાઈગર મેમણ અને દાઉદ ઈબ્રાહીમને મદદ કરી હતી - 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોના મુખ્ય કાવતરાખોરો. તેણે બોમ્બ વિસ્ફોટોના આયોજન અને અમલમાં નાણાકીય મદદ કરી. તે ટાઈગર મેમણના ફંડને હેન્ડલ કરતો હતો, આતંકવાદીઓની તાલીમ માટે ભંડોળ પૂરું પાડતો હતો, બોમ્બ વિસ્ફોટો માટે ઉપયોગમાં લેવાતા વાહનો ખરીદતો હતો અને શસ્ત્રોનો સંગ્રહ કરતો હતો.

આ તસ્વીર વાઈરલ થયા બાદ બીજેપી નેતા રામ કદમે આરોપ લગાવ્યો છે કે જ્યારે ઉદ્ધવ ઠાકરે સીએમ હતા ત્યારે યાકુબ મેમણની કબરને શણગારવામાં આવી ? ભાજપના નેતા રામ કદમે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાહુલ ગાંધીએ આ માટે મુંબઈની જનતાની માફી માંગવી જોઈએ. કબ્રસ્તાનના સ્ટાફને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કબ્રસ્તાનમાં આવી ઘણી કબરો છે, જેને માર્બલથી શણગારવામાં આવી છે, જેના માટે તેઓ વાર્ષિક ફી ચૂકવે છે. યાકુબ મેમણની કબરની નજીક 3 વધુ કબરો છે, જે તેના સંબંધીઓની છે. અહી દરેક જગ્યાએ લાઈટ છે જે ૬ થી ૧૧ સુધી શરુ રાખવામાં આવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS