રાજકોટમાં 7 નવેમ્બરે યોજાનાર ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 મેચની ટિકિટનું વેચાણ શરૂ

DivyaBhaskar 2019-10-31

Views 884

રાજકોટ: રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ યોજાવાની છે, ત્યારે ઓનલાઈન બાદ હવે આજથી ટિકિટનું ફિઝિકલ વેચાણ પણ સ્ટેડિયમ સહિત શહેરમાં અલગ અલગ 4 જગ્યાએ શરૂ કરી દેવામાં આવ્યું છે ટિકિટ વેચાણની શરૂઆત થતાની સાથે ક્રિકેટ રસિકો મેચની ટિકિટ લેવા માટે લાંબી કતારો લગાવી હતી અને પોતાની ટિકિટ ખરીદવા આવી પહોંચ્યા હતા આ અગાઉ પણ આ મેદાન ખાતે 6 ઇન્ટરનેશનલ મેચ અને IPL મેચો રમાઈ ચૂક્યા છે ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચને લઇ સમગ્ર સૌરાષ્ટ્રની ક્રિકેટપ્રેમી જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS