ઉપલેટાની વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો

DivyaBhaskar 2019-05-21

Views 1.3K

રાજકોટ:ઉપલેટાની ઉષાગૌરી નામની વિદ્યાર્થિની ધોરણ 10માં 2 વિષયમાં નાપાસ થતાં છઠ્ઠા માળેથી કુદકો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જો કે આસપાસના લોકોએ સમયસર હોસ્પિટલ દાખલ કરતા વિદ્યાર્થિનીનો જીવ બચી ગયો છે અને તે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છેઘટનાની વિગત અનુસાર આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ઉપલેટાની ઉષાગૌરી પરમાર 2 વિષયમાં નાપાસ થતાં તુલસી એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના છાપરા પર પડતા જીવ બચી ગયો હતો અને આસપાસના લોકોએ વિદ્યાર્થિનીને સમયસર ખાનગી હોસ્પિટલ દાખલ કરી હતી હાલ વિદ્યાર્થિની સારવાર હેઠળ છે વિદ્યાર્થિનીની માતા GRDમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS