વડોદરાઃનવલખી ગ્રાઉન્ડમાં થયેલા દુષ્કર્મ મામલે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા, જેમાંથી 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને નવલખી સામૂહિક દુષ્કર્મ કેસની માહિતી આપી હતી જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ‘આજે બંને આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે ત્યારબાદ નવલખી મેદાનમા વીડિયોગ્રાફી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાનું રિક્ન્ટ્રક્શન કરવામાં આવશે’