તેલંગાણામાં મહિલા વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સોમવારે રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે જ્યારે લોકો સરકાર પાસે એક સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખે છે અને સરકારે પણ જણાવવું જોઈએ કે નિર્ભયા અને કઠુઆ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી શું થયું? મામલામાં સુરક્ષા સાથે જોડાયેલા લોકોએ જવાબ આપવો જોઈએ તેમણે કહ્યું કે, દુષ્કર્મના આરોપીઓનું જનતાએ લિંચિંગ કરવું જોઈએ