અમિત શાહે દિલ્હીમાં કહ્યું કે, હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી પોલીસે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાની જરૂર છે ગુના અને ગુનાખોરોને પ્રવૃતિ વાળા લોકો કરતા પોલીસે ચાર ડગલા આગળ રહેવું પડશે તેના માટે વડાપ્રધાન મોદીને અપરાધિક માનસિકતા અને અપરાધની પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે નેશનલ મોડલ ઓપરેન્ડી બ્યૂરોની સ્થાપના પર વિચાર કરવા માટે કહ્યું છે તેમણે કહ્યું કે, આઈપીસી અને સીઆરપીસીમાં સંશોધન થવું જોઈએ બન્ને માટે એક સૂચન પ્રક્રિયા શરૂ કરવાની જરૂર છે જેના માટે દેશભરના લોકો પાસેથી સૂચનો મંગાવવા જોઈએ