યેદિયુરપ્પા સરકારના 17 ધારાસભ્યોએ કેબિનેટમંત્રી પદના શપથ લીધા

DivyaBhaskar 2019-08-20

Views 841

કર્ણાટકમાં ભાજપ સરકાર બન્યાના 25 દિવસ બાદ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના મંત્રીમંડળની રચના થઈ છે રાજ્યપાલ વજુભાઈવાળાએ મંગળવારે 17 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી પદના શપથ લેવડાવ્યા છેરાજ્યમાં JDS-કોંગ્રેસ સરકાર સત્તા પરથી હટ્યા બાદ યેદિયુરપ્પાએ 26 જુલાઈના રોજ એકલા મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા 29 જુલાઈએ બહુમતી સાબિત કરી હતી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ચર્ચા બાદ 17 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે સોમવારે યેદિયુરપ્પાએ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત પણ કરી હતી કોણે કઈ જવાબદારી મળશે, તે હજુ સ્પષ્ટ નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS