વડોદરા: વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિરના ખાતે અષાઢી બીજ પર્વે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે આજે ભગવાનની સ્નાન યાત્રા યોજાઇ હતી સ્નાન યાત્રા દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીની કાષ્ઠની પ્રતિમાને અભિષેક સ્નાન કરાવવામાં આવ્યુ હતું સ્નાન યાત્રાને કારણે ભગવાન બીમાર પડતાં ઇસ્કોન મંદિર સ્થિત ભગવાન જગન્નાથજીનું નિજ મંદિર બે અઠવાડિયા સુધી બંધ રહ્યા બાદ અષાઢી બીજ પર્વે ખુલશે