કેશોદ: કેશોદ માર્કેટ યાર્ડ ખાતે લોકસભા ચૂંટણી પૂરી થયાનાં બીજા જ દિવસે તુવેરમાં ભેળસેળ થયાની ફરિયાદ 7 આરોપીઓ સામે દાખલ કરવામાં આવી હતી અને પુરવઠા વિભાગ દ્વારા 3241 ગુણી સીઝ કરાઇ હતી પરંતુ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરાયેલો જથ્થો 90 લાખનો હતો જ્યારે એફઆઇઆરમાં નબળી તુવેરની રકમ 26 લાખ બતાવવામાં આવી હતી આથી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે, સીઝ થયેલા જથ્થામાં સારી અને નબળી બન્ને પ્રકારની ગુણવત્તાનો જથ્થો હોવાથી તેનું સેમ્પલિંગ જરૂરી બન્યું હતું જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તૂવેરને બીજે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી